ખાનગી શાળાના 12 લાખ શિક્ષકની નોકરી જોખમમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-07,

ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકોની નોકરી પર જોખમ આવી ગયું છે.

આ મામલે સારા ખાનગી શાળા સંચાલકોએ સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે જો સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદમાં શિક્ષકોની હાલત કફોડી બની રહી છે કેમકે, સરકારે ઓનલાઇન શિક્ષણની ફી લેવાનું બંધ કરી દેતા શાળા સંચાલકોએ પણ શિક્ષકો સહિત શાળાના સ્ટાફને પગાર આપવાની અસમર્થતા દર્શાવવા લાગ્યા છે.

આ મામલે અમે ખાનગી શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ 15થી 20 વખત માગણી

કરી છે કે શિક્ષકો અને સ્ટાફને પગાર આપવો તમને પોસાય તેમ નથી તેથી રાજ્ય સરકાર અમારા જે ખર્ચ છે તેમાં 70 ટકા પગાર માં જાય છે અને 30 ટકા બીજા ખર્ચા હોય છે તો પગારનો ખર્ચ સરકાર અમને આપે અથવા તો શાળા સંચાલકોને આત્મનિર્ભર લોન આપે જેથી શિક્ષકો અને સ્ટાફનો પગાર અમે કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 9થી 12ના ખાનગી શાળાના આઠ લાખ જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફ છે જ્યારે ધોરણ 1 થી 8ની સ્વનિર્ભર શાળાઓમાં સાડા ત્રણ લાખ જેટલા શિક્ષકો સહિતનો સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે આ તમામને પગાર આપવો સંચાલકોને હવે પરવડે તેમ નથી તેથી નાછૂટકે અમારે પણ શિક્ષકોને છુટા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63