(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,
મોરબીમાં આજે રવિવારે કોરનાનો વિસ્ફોટ થયો હોય તેમ પાંચ કેસ બાદ બીજા એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચારેય કેસ દરબારગઢ વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 51 પર પોહચી ગઈ છે.
પ્રાપ્તપ્ત વિગત મુજબ રાજકોટની ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલમાંથી મોરબીના દરબારગઢ વિસ્તારમાં જાની શેરીમાં રહેતા આડેસરા પરિવારના ત્રણ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59), આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58) અને આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ ત્રણય રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આડેસરા પરિવારના ત્રણય સભ્યો અમદાવાદના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે આ પરિવારના નજીકના સગા જે સુથાર શેરી, દરબારગઢમાં રહેમાં તે પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે. આમ દરબારગઢ વિસ્તારમાં એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રવિવારે એક જ દિવસમાં 9 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક અડધી સદી પાર કરી 53 પર પોહચી ગયો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63