(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-4, 17 એપ્રિલ સુધી પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધાર્યા બાદ જિયો, એરટેલ, અને વોડાફોન કંપનીએ ફરી એક વાર ગ્રાહકોને ફાયદો આપ્યો છે. કંપનીએ પ્રીપેડ પેકની વેલિડિટી સમાપ્ત થયા બાદ પણ ગ્રાહકોને ઇનકમિંગ કોલ્સની સુવિધા ચાલુ રખાશે,
Reliance Jio, Airtel અને vodafone કંપનીએ ફરી એક વાર પ્રીપેડની વેલિડિટી વધારી દીધી છે. કોરોના વાયરસ લોકડાઉનને પગલે દેશમાં ત્રણ મોટી કંપનીઓએ વેલિડિટી પુરી થયા બાદ પણ ગ્રાહકોને ઇનકમિંગ કોલ્સની સુવિધા ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ કંપની ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને 3 મે સુધી વધારી દેવામાં આવી છે. TRAI ઉપરાંત COAI (સેલ્યુલર ઓપરેટર એશોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા પણ ટેલિકોમ કંપનીઓને પ્રીપેડ પ્લાનની વેલિડિટી વધારવા અનુરોધ કર્યો હતો.
ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો