(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11-4, રાજકોટ: મેટોડા GIDC માં વૃંદાવન ગ્રુપ દ્વારા 1200 જેટલા લોકો માટે દરરોજની ભોજનની વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી છે.
વૃંદાવન ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ, ઉપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વીરડા, ખજાનચી વીરભાનુંભાઈ, psi વનરાજભાઈ બરબસીયા તથા તમામ ગ્રુપના સદસ્યો દ્વારા કોરોનાની કપરી સ્થિતિમાં મુલાયેલા લોકો માટે અવિરત ભોજન વ્યવસ્થા સુચારુ રીતે સોશ્યિલ ડિસ્ટેંસીન્ગનું ધ્યાન રાખી કરવામાં આવી રહી છે. આ ટિફિન વ્યવસ્થામાં નાગદાનભાઇ ચાવડા પણ યથાયોગ્ય પ્રજાની સેવા કાર્યમાં જોડાયા છે. સમગ્ર વિસ્તારમાં લોકો તમામ સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા લોકોની આ માનવતાવાદી સેવાને બિરદાવી રહ્યા છે. (તસ્વીર- વિપુલ એમ. પ્રજાપતિ)