મોરબી જિલ્લામાં કોરોનાના કેસ રોજે રોજ વધતા જ જાય છે મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના વાયરસ પોઝીટીવ કેસ નોંધાયા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોના રિપોર્ટ પણ વહેલો આવવો જરૂરી છે. જેથી, દર્દીની સારવાર જલ્દીથી ચાલુ થઇ શકે અને કોરોનાનો ફેલાવો અટકાવી શકાય.
ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, રાજકોટની જેમ મોરબીને પણ રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. આ રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તે માત્ર 30 મિનિટમાં જાણવા મળે છે. સરકાર દ્વારા મોરબી જિલ્લાને હાલમાં 200 રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. ગઈકાલે કીટ દ્વારા 15 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રેપિડ ટેસ્ટ કીટથી કોરોના પોઝિટિવ છે કે નહિ તે ફક્ત 30 મિનિટ જેટલા સમયમાં જ જાણી શકાય છે. આમ આ રેપિડ ટેસ્ટ કીટ કોરોના સામે ખુબ ઉપયોગી ટૂલ્સ છે. જો મોરબીમાં વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવે તો જ કોરોના સંક્રમિતઓનો વાસ્તવિક આંકડો સામે આવે એમ છે. આથી મોરબીમાં માસ ટેસ્ટિંગ કાવામાં આવે તે ખુબ જરૂરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63