મોરબી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવવાનો અટકવાનું નામ લેતો નથી. બીજી બાજુ કોરોનથી મૃત્યુનો ગ્રાફ પણ વધી રહ્યો છે. કોરોનાગ્રસ્ત 60 વર્ષીય વૃધ્ધાએ આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, અત્યાર સુધીમાં કોરોનાથી થયેલ મૃત્યુનો આંક 5 થયો છે.
આજે સવારે બે પોઝિટિવ કેસો નોંધાયા બાદ સાંજે બીજા નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ત્રણ કેસમાં આજે સાંજે કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો સમાવેશ થાય છે. આ ત્રણેય કેસ મળીને આજે જિલ્લામાં કોરોનાના કુલ કેસ 7 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 70 થયા છે.
આજે બુધવારે બપોર કોરોનાગ્રસ્ત દર્દીના ભાઈ અને પિતા એમ એક સાથે બે લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ફરી અત્યારે સાંજના સમયે બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યું છે. જેમાં એક દર્દી મોરબીના હરિ વીલા, ખારાકુવા વાળી શેરી, જુના બસસ્ટેન્ડ પાસેના વિસ્તારના છે. જેમનું નામ જયંતીભાઈ મણિભાઈ માંડલિયા ઉ.વ. 65 છે. આ દર્દી કોરોના પોઝિટિવ હિતેશભાઈ રાણપરાના સસરા છે.
મોરબી જિલ્લામાં આજના દિવસે સાંજ સુધીમાં ચાર પોઝિટિવ કેસો નોંધાયા બાદ જામનગરની લેબમાંથી આવેલા રિપોર્ટમાં વધુ નવા ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આજે બુધવારના રાતના અરસામાં વધુ ત્રણ પોઝિટિવ કેસો નોંધાતા આજે બુધવારનાં કુલ કેસ 7 થયા છે. જયારે મૃત્યુ આંક 5 થયો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63