GST રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારીને 30 જૂન 2020 કરી
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, કોરોના વાયરસની (Coronavirus)અસરથી નિપટવા માટે વિત્ત મંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. આ સાથે 30 જૂન સુધી ડિલેડ પેમેન્ટનો વ્યાજ દર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. આ સાથે ટીડીએસનો ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. ટીડીએસ ફાઇલિંગની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી. વિત્ત મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં આધાર-પાન કાર્ડ લિંક કરવાની ડેડલાઇન પણ વધારીને 30 જૂન 202 કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આધારને પાન કાર્ડથી લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 હતી. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને 30 જૂન 2020 કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સબકા વિશ્વાસ સ્કીમની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.