મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસ અને કે. ડી. બાવરવા દ્વારા નક્કી કર્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અતિવૃષ્ટિથી થયેલ નુકશાનની જાત માહિતી મેળવી હતી. ખેતીમાં નુકશાની થયેલા ખેડૂત ખાતેદારોની નુકશાનીની માહિતી સાથેના અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવેલ. આ માટે તરઘરી, ચાચાવદરડા, નાનાદહીંસરા, ખીરસરા, મોટા દહીંસરા, સરવડ, મોટા ભેલા, ભાવપર, બગસરા, નાના ભેલા વિગેરે ગામોની મુલાકાત લીધેલ. આ મુલાકાતમાં ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવેલ હતી. આજ રીતે અન્ય ગામોનો પ્રવાસ પણ કરવામાં આવનાર છે. દરેક ગામોના ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકારશ્રીમાં રજુ કરીને સરકાર ખેડૂતોને વહેલી તકે ન્યાય આપે એ માટે રજૂઆત કરવામાં આવશે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-08-2022