મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2022

પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના અનુસાર ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસિંઘ યાદવ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાના હોદ્દેદારોની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથોસાથ રાંધણ ગેસમાં 50 રૂપિયાનો કમર તોડ વધારો કરવામાં આવતા સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, રાજુભાઇ ભરવાડ, મંત્રી હિતેશભાઈ કુંભરવાડીયા, મહામંત્રી મુકેશભાઈ વિગોરા, રહીમભાઈ બુખારી, ગીરીશભાઈ રાઠોડ, હરજીવનભાઈ પરમાર, મનસુખ ડાભી, મકવાણા ગણેશભાઇ, હળવદના મહામંત્રી ભરતભાઇ કણજારીયા, રમેશભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતાં