વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા બી.જી.સરવૈયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-09-2021

(અજય કાંજીયા) વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પી આઈ એચ એન રાઠોડ ની બદલી અમદાવાદ ખાતે થતાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન મોરબી સી પી આઈ ખાતે ફરજ બજાવતા બી જી સરવૈયાને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. પીઆઇ બી જી સરવૈયાએ વાંકાનેર સીટી પીઆઇ નો ચાર્જ સંભાળી લીધો છે. અમને મળેલી માહિતી મુજબ તેઓ 2021 ના અંતમાં સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેથી તેઓ વાંકાનેરમાં લગભગ ત્રણ મહિના જેટલો સમય શહેર પીઆઈ તરીકે કામગીરી કરશે.