વાંકાનેરના જડેશ્વર મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે યોજાતો મેળો રદ

કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-08-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય લોકોમેળો ભરાય છે. ત્યારે કોરોના મહામારીનો ધ્યાને લઈને આ વખતે પણ સતત બીજા વર્ષે વાંકાનેરના જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસના બીજા સોમવારનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્રભરના લોકોની આસ્થા અને શિવ ભક્તિ માટે જાણીતા વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે વર્ષોથી શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સોરાષ્ટ્ભરના લોકો ઉમટી પડી મેળાની મોજ માણીને શિવ ભક્તિની આહલેક જગાવે છે. ત્યારે આ લોકમેળાને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનું ગ્રહણ નડયું છે. ગયા વર્ષ બાદ આ વર્ષે પણ વાંકાનેરના જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસના બીજા સોમવારનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જેની તમામ લોકોને નોંધ લેવાની જડેશ્વર મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે.