રાજકોટ: સગર્ભા મહિલાને પૂર્વ પતિએ ઘરમાં ઘુસી ગોળી ધરબી પતાવી દીધીઃ હત્યારો ઝડપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-07-2021

રાજકોટ: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક બનેલ આ ઘટનામાં મુળ જુનાગઢના પ્રજાપતિ પંકજ ચાવડા સાથે મુળ યુપી રાણીગંજની સરિતાએ લગ્ન કર્યા હતા, બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાને તેમના ઘરમાં ઘૂસીને તેમના પૂર્વ પતિએ યુ.પી.ના અશોક મોર્ય નામના વ્યક્તિએ તેણીના ઘરમાં ઘૂસીને ગોળીબાર કરી મહિલાની હત્યા નિપજાવી હતી. ગોળીના અવાજથી સ્થાનિક જાગૃત યુવાનો દોડી આવ્યા હતા અને 4 જેટલા યુવાનોએ બહાદુરીપૂર્વક આ હત્યારાનો પીછો કરી માધાપર ચોકડી પાસે આવેલ પોલીસે ચોકીમાં રીક્ષા નંબર સહિતની માહિતી આપી હત્યારાને ઝડપી લેવામાં મદદ કરી હતી. અંતે આ હત્યારો પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હત્યારા અશોક મૌર્યને ઝડપી પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાની તાપસ ડીસીપી મનોહરસિંહ જાડેજા-એસીપી પી. કે. દિયોરા-એસીપી ડી. વી. બસીયા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસની ટીમોએ પહોંચી તપાસ શરુ કરી હતી, તપાસમાં પ્રાથમિક હત્યાનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુ તાપસ પોલીસ ચલાવી રહી છે.