વાંકાનેર: CNG રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-07-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકાના કેરાળા બોર્ડ પાસે 27 નેશનલ હાઈવે પર સીએનજી રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયું હતું. જેમાં સીએનજી રીક્ષામા સવારે એક વ્યક્તિનું મોત થયાની માહિતી મળી છે.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત અને મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.