વેક્સિન સર્ટીફીકેટ ફરજીયાતનો અમલ એક મહિના સુધી મુલતવી રાખવા રજુઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-06-2021

ગુજરાતમાં કોરોના મહામારી સંદર્ભમાં આંશિક લોકડાઉનમાં હાલમાં વેપાર ધંધા માંડ શરૃ થયા છે. બીજી તરફ વેક્સિન મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેથી આવા સંજોગોમાં ૩૦ મી જૂન સુધીમાં વેક્સિન સર્ટીફીકેટ ફરજીયાતનો નિયમ અમલમાં આવશે તો વેપાર ધંધાને ભારે નુકસાન ભોગવવું પડશે. આથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આ નિયમનો અમલ એક મહિના સુધી મુલતવી રાખવા માંગણી કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો