સાઈકલમાં 1000 અને ઈ-બાઇકમાં રૂા.5000 સબસીડીનો પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

રાજકોટ મહાનગરપાલિકાએ બજેટમાં સબસીડી માટે વધુ 50 લાખની જોગવાઈ કરી

રાજકોટમાં વસવાટ કરતાં દરેક વ્યકિતને યોજનાનો લાભ મળવાપાત્ર છે: રાજકોટ શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે મહાનગરપાલિકાએ સાયકલ અને ઈ-બાઈકને પ્રોત્સહન આપવા માટે સબસીડી યોજના અમલમાં મૂકી છે. જેની મુદ્દતમાં ફરી વખત વધારો કરવામાં આવ્યો છે. હવે પછી કોઈપણ વ્યકિત નવી સાયકલની ખરીદી કરે તેને 1000 રૂપિયા સબસીડી મળવાપાત્ર છે તેવી જ રીતે ઈ-બાઈક ખરીદનારને કોર્પોરેશન રૂા.5 હજાર સબસીડી આપશે. જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સાયકલ શેરિંગના પ્રોજેક્ટનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ ખાસ રૂ.1 કરોડ ની તથા વર્ષ 2020-21ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજકેટ હેઠળ ખાસ રૂ.30 લાખ બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફક્ત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ.1000/- કુટુંબ દીઠ એક વ્યક્તિને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ 4,500 વ્યક્તિઓએ લાભ લીધેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.45 લાખ જેટલી સબસીડી આપવામાં આવેલ. ચાલુ વર્ષ વર્ષ 2021-22ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ રૂ.50 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

આજ 3 જુનના રોજ વિશ્વ સાયકલ દિવસ છે. તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ તા.15/07/2019

રાજકોટના રહીશ જે શહેરીજનો દ્વારા નવી સાયકલ ખરીદ કરવામાં આવેલ હોય તેને અલગથી રૂ.1000/- તેઓના બેક ખાતામાં વધારાનું વળતર (સબસીડી) આપવાનું મંજુર કરવામાં આવેલ છે.

અગાઉ કુટુંબ દીઠ એક વ્યક્તિને સાયકલ ખરીદનારને વળતર આપવામાં આવતું પરંતુ ચાલુ વર્ષે એક વ્યક્તિને બદલે સાયકલ ખરીદનાર તમામ વ્યક્તિઓને વળતર યોજનાનો લાભ આપવામાં આવશે. વિશેષમાં, વધુ ને વધુ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં મહાનગરપાલિકા અનેક પગલાઓ લઇ રહી છે તેના ભાગરૂપે ચાલુ વર્ષે ઈ-બાઈક પ્રમોશન પ્રોજેક્ટ પણ મંજુર કરવામાં આવેલ છે અને જરૂરી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં રહેલો વ્યક્તિ નવું ઈ-બાઈક ખરીદ કરે તો આ યોજના હેઠળ રૂ.5000/- સબસીડી આપવાનું પણ મંજુર કરાયેલ છે.

યોજનાનો લાભ લેવા માટેના નિયમો: સાયકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ પર સાયકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી, જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાના રહેશે.

એક પરિવારના તમામ લોકોને લાભ મળશે: મહાનગરપાલિકાએ સાયકલ અને ઈ-બાઈકની ખરીદી કરનારને સબસીડી આપવાની જાહેરાત કરી છે. જેમાં અગાઉ એક પરિવારમાં એક વ્યકિતને સબસીડીનો લાભ મળતો હતો. પરંતુ, હવે એક પરિવારમાં એક કે વધુ સભ્યો ઈ-બાઈક અથવા સાયકલની ખરીદી કરશે તો તમામને સબસીડીનો લાભ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો