શિક્ષકોના ગ્રેડ પે ના નામે અફવાઓ ચાલી રહી છે : નીતિન પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-07,

રાજ્યમાં શિક્ષકોના 4200ના ગ્રેડ પે વિવાદ મુદ્દે નાણાંમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પેની અફવા ચાલે છે. શિક્ષકોને અગાઉ 4200નો ગ્રેડ પે મળતો જ હતો. ગ્રેડ પેમાં એક રૂપિયો પણ વધારવામાં આવ્યો નથી. ઘણાએ અફવા ચાલુ કરી કે શિક્ષકોનો ગ્રેડ પે વધી ગયો બીજાનો કેમ ન થયો પરંતુ આ સમગ્ર બાબત ખોટી છે. ઘણા લોકો તેનું ખોટું અર્થઘટન કરતા હતા. શિક્ષકોના મુદ્દે પ્રશ્ન ઉભો થયો ત્યારે શિક્ષણ વિભાગના પરિપત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો અને પરિપત્ર રદ કરવામાં આવ્યો.

નીતિન પટેલે કહ્યું હતું કે સરકારમાં જે બાબતની ચર્ચા પણ ન હોય તેવી બાબતો વિશે કેટલાક તત્વો અને બની બેઠેલા નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોઈ પણ વિભાગમાં ગ્રેડમાં સુધારો કર્યો નથી. પગારમાં ઘણી વસ્તુઓ ઉમેરાતી હોય છે જેમાં અન્ય એલાઉન્સ પણ એડ થતા હોય છે. અત્યારે કોરોનાનાં કારણે સરકારની આવક ઓછી થઈ ગઈ છે, ત્યારે આ કપરા સમયમાં પણ તમામનો પગાર કરવામાં આવી રહ્યો છે. આપણા કર્મચારીઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં અમે કોરોના અને વરસાદ સામે કામ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક તત્વોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63