મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકની જે તારીખ નક્કી કરવામાં આવી હતી જેમાં ફેરફાર કરવામાં આવેલ છે અને આગામી તા 25 એપ્રિલના રોજ બેઠક યોજાશે.

સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે તા 11 ના રોજ સવારના 11:00 કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે સંકલન બેઠક તા 11 ના બદલે હવે તા 25 ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.
































