Sunday, April 20, 2025
HomeFeatureરવિવારે રાજકોટ જીવનનગરના મહાદેવધામમાં રામનવમીની ઉજવણી

રવિવારે રાજકોટ જીવનનગરના મહાદેવધામમાં રામનવમીની ઉજવણી

સવારના પ્નભાત ફેરીથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો, રહીશોમાં અનેરો ઉત્સાહ: બપોરે મહાઆરતીમાં ભા.જ.પ. ના આગેવાનો હાજરી આપશે.

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે રવિવાર તા.૬ ઠ્ઠી એપ્નિલના રોજ રામનવમી જન્મોત્સવ ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. મંદિરમાં સવારથી મોડી રાત સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧ર કલાકે મહાઆરતીમાં ભા.જ.પ. ના આગેવાનો હાજરી આપવાના છે.

મંદિરના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટની સંયુકત યાદીમાં જણાવ્યું કે દેશભરમાં રામનવમીની સૂર્ય તિલક સાથે ધામધૂમથી ઉજવણી થવાની છે. મંદિરમાં સવારના પ્નભાત ફેરી, સુંદર કાંડના પાઠ, મહાઆરતી, દિપમાલા, સત્સંગ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે. બપોરે ૧ર કલાકે મહાઆરતી સાથે પ્નસાદનું વિતરણ થશે. રામલલ્લાની ઉજવણી માટે રહીશોમાં અનેરો થનગનાટ છે. મંદિરનું સુશોભન, રોશનીથી શણગારવામાં આવશે. જીવનનગર સમિતિ અનેકવિધ પ્નવૃતિઓ કરે છે. શ્રદ્ધા–વિશ્વાસનું કેન્દ્ર છે.

મહાઆરતીમાં વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્નભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્નમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ પ્નમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભા.જ.પ. મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડ મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, ઉપપ્નમુખ કેતનભાઈ મકવાણા, મંત્રી વિપુલભાઈ પંડયા, ઓબીસીના રણજીતભાઈ ચૌહાણ, વિનુભાઈ ભટ્ટ, જયેશભાઈ પંડયા, અશોકભાઈ વાઘેલા, પાર્થ ગોહેલ વિશેષ હાજરી આપવાના છે. સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયા મહેમાનોનું સ્વાગત કરી ઉત્સવ, ત્યૌહારની માહિતી આપશે. આગામી હનુમાન જયંતિના કાર્યક્રમોની જાહેરાત કરનાર છે.

મહોત્સવની તૈયારી મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન રાવલ, ભક્તિબેન ખખ્ખર, જયશ્રીબેન મોડેસરા તથા સમિતિના અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, જયેશભાઈ પંડયા, અશોકભાઈ વાઘેલા વિગેરે કરી રહ્યા છે. જીવનનગર વિકાસ સમિતિઃ મો. ૯૮રપર ૧૬૬૮૯

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!