Sunday, April 20, 2025
HomeFeatureસમસ્ત પીપળી ગામ દ્વારા આયોજિત શ્રી રામજી મંદિર જીર્ણોદ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા...

સમસ્ત પીપળી ગામ દ્વારા આયોજિત શ્રી રામજી મંદિર જીર્ણોદ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી, જૂની-નવી પીપળી ગામમાં શ્રી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ દશાહ અવતાર અને રામ પરિવાર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ચૈત્ર સુદ – ૯, રવિવાર, તારીખ ૦૬-૦૪-૨૦૨૫ (રામ નવમી) ના પવિત્ર દિવસે અભિજીત મુહૂર્તમાં પૃથક ઉજવવામાં આવશે.

મહોત્સવ કાર્યક્રમ વિગત: દિવસ – ૧ (ચૈત્ર સુદ – ૭, શુક્રવાર, ૦૪/૦૪/૨૦૨૫) દેહ સુધી – સવારે ૮:૦૦ વાગ્યે ગણપતિ પૂજન – સવારે ૯:૩૦ વાગ્યે પંચાંગ કર્મ – બપોરે ૩:૦૦ વાગ્યે સ્થાપિત દેવ પૂજન સંધ્યા આરતી – સાંજે ૫:૩૦ વાગ્યે

દિવસ – ૨ (ચૈત્ર સુદ – ૮, શનિવાર, ૦૫/૦૪/૨૦૨૫) સ્થાપિત દેવ પૂજન અને મહાપૂજા – સવારે ૮:૦૦ વાગ્યે જલયાત્રા – સવારે ૧૦:૦૦ વાગ્યે કુંડ પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ પ્રસાદ વાસ્તુ – બપોરે ૨:૩૦ વાગ્યે કુટિર કર્મ – બપોરે ૪:૦૦ વાગ્યે નગર યાત્રા – રાત્રે ૮:૩૦ વાગ્યે ધાન્યાદિ વાસ

દિવસ – ૩ (ચૈત્ર સુદ – ૯, રવિવાર, ૦૬/૦૪/૨૦૨૫) સ્થાપિત દેવ પૂજન – સવારે ૮:૦૦ વાગ્યે સ્થાપન વિધિ, જલાધિવાસ, ન્યાસ વિધિ નીજ મંદિરમાં મૂર્તિની પધરામણી – અભિજીત નક્ષત્રમાં મહાપૂજા અને મહા આરતી અન્નકૂટ શાંતિ પુષ્ટિ યજ્ઞ – બપોરે ૨:૩૦ વાગ્યે પુર્ણાહુતિ – સાંજે ૪:૩૦ વાગ્યે મહાપ્રસાદ

તારીખ: ૦૫/૦૪/૨૦૨૫, શનિવાર સમય: સાંજે ૫:૩૦ વાગ્યે સ્થળ: યોગાશ્રમ, પીપળી નગર યાત્રા અને ફુલેકું વિધિ તારીખ: ૦૫/૦૪/૨૦૨૫ સમય: રાત્રે ૮:૩૦ કલાકે આ પવિત્ર અવસર પર સમગ્ર પીપળી ગામ તથા સમગ્ર હિન્દુ સમાજના ભાવિક ભક્તજનોને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ પરિવાર સાથે પધારી, ભક્તિ અને શ્રદ્ધાની ગંગોત્રીમાં સાક્ષી બનવા સમસ્ત નવી-જૂની પીપળી ગામ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!