Tuesday, March 25, 2025
HomeFeatureશ્રી ગઢીયા હનુમાન દાદાના રજત જયંતિ મહોત્સવે મહારક્તદાન કેમ્પનું આયોજન

શ્રી ગઢીયા હનુમાન દાદાના રજત જયંતિ મહોત્સવે મહારક્તદાન કેમ્પનું આયોજન

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા શ્રી ગઢીયા હનુમાન દાદા ના મંદિરનાં 25 વર્ષ (રજતજયંતિ મહોત્સવ) નિમીતે તા 8/3/25 ને શનિવાર ના રોજ સવારે 8.30 થી બપોરે 2 વાગ્યા સુધી ભાટિયા સોસાયટી ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવમંદિર ના સાનિધ્ય મહારક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

આ કેમ્પ ને સફળ બનાવવા માટે વાંકાનેર ની અલગ અલગ સંસ્થાઓ તેમજ સોશીયલ ગૃપો તેમજ આ મહારક્ત દાન કેમ્પ વાંકાનેર નાં રક્તવીરો ને પ્રોત્સાહિત કરવા માટે દાતાશ્રી ઓ તરફથી સન્માન પત્ર તેમજ ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ નું દિપ પ્રાગટ્ય જે લોકોએ વધુ રક્તદાન કર્યુ તે રક્તદાતાઓ તેમજવિશ્વ મહિલા દિવસ હોય મહિલાઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

આ દિવસે પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓની માહિતી તેમજ આધારકાર્ડ સુધારા વધારા નો કેમ્પ પણ સાથે રાખેલો હતો આ કાર્યક્રમમાં વાંકાનેર નાં ડીવાય એસ પી સાહેબ પી એસ આઈ સાહેબ તેમજ રાજકીય આગેવાનો સમાજિક સંસ્થાઓના આગેવાનો રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરવા ખાસ હાજાર રહ્યા હતા

આ કેમ્પ માં વિશેષ સેલ્ફી પોઇન્ટ તેમજ રક્તવીરોનું મેડલ થી મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ રક્તદાતા ઓ દ્વારા આશરે 117 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ગઢીયા હનુમાન મિત્ર મંડળ તેમજ સાથે જોડાયેલા સંસ્થાઓના શભ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી (Report : Ajay Kanjiya, wankaner)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!