Wednesday, March 26, 2025
HomeFeatureમોરબીના ખોખરા હનુમાન હરિહર ધામે માઁ શ્રી કનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામે માઁ શ્રી કનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્ર્વર શ્રી શ્રી 1008 માઁ શ્રીકનકેશ્ર્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ કાલે તા. 2/3 ને રવિવારના રોજ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કાલે જે પ્રાગટ્યોત્સવ યોજવાનો છે તેના માટે આયોજકો દ્વારા ભાવિકજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. 1/3 ને શનિવારની રાત્રે 9:00 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોષી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર) જમાવટ કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!