મોરબીમાં આવેલ નવયુગ સાયન્સ સ્કૂલ અને ભાવનગરની જ્ઞાનમંજરી સંસથા દ્વારા તજજ્ઞ શિક્ષક મિત્રો માટે સારસ્વત સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની મોટાભાગની સ્કૂલોના શિક્ષકો તેમજ ક્લાસીસના શિક્ષકો હાજર રહ્યા હતા અને ગુજરાતની નંબર વન સંસ્થા જ્ઞાનમંજરીની આખી સિસ્ટમ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ જ્ઞાન મંજરીની સિસ્ટમનો લાભ મોરબીના વિદ્યાર્થીઓને પણ કઈ રીતે મળે એ બાબત માહિતી મેળવી હતી.

















