તાજેતરમાં મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં ઘણા લોકોના મૃત્યુ થયેલ હતા જેટી આ દિવંગતોના આત્માની શાંતિ માટે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 થી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓએ ફક્ત 251 રૂપિયા આપવાના રહેશે અને યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. આ યજ્ઞનો સમય દરરોજ સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેવા માટે પોતાનું નામ નોંધાવવા ભુપતભાઈ પંડ્યાના મો. 98256 71698 પર સંપર્ક કરવો.
















