મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પટેલની તાજેતરમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

અને ખાસ કરીને આ જવાબદારી તેમને સોંપવા બદલ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
















