Sunday, February 16, 2025
HomeFeatureટંકારામાં પાટીદાર સમાજનો કાલે છઠ્ઠો સમુહલગ્નોત્સવ

ટંકારામાં પાટીદાર સમાજનો કાલે છઠ્ઠો સમુહલગ્નોત્સવ

27 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના  તા.2 ને રવિવારના રોજ રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાશે જેમાં 27 યુગલો પ્રભુતામાં ડગ માંડશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. અને નવયુગલને આશીર્વાદ આપશે.

આ સમૂહલગ્ન સાથે સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાઓનો સન્માન તથા ભોજન સમારંભ યોજાશે આ સમૂહલગ્નમાં દાતાઓના સહકારથી કન્યાઓને કરિયાવર પણ આપવામાં આવશે અને આ કાર્યક્રમનું આયોજન સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી, કારોબારી કમિટી, મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!