Sunday, February 16, 2025
HomeFeatureસોમવારે મોરબીના જારીયા પરિવારના આંગણે કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ

સોમવારે મોરબીના જારીયા પરિવારના આંગણે કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની સ્વ.પૂરીબેન લાખાભાઈ જારીયાનું ગત તા.24-1ના રોજ અવસાન થયેલ હોય તેઓની ઉત્તરક્રિયાના દિવસે તા.3 ને સોમવારના રોજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબીના જારીયા પરિવારના આંગણે આગામી તા.3 ને સોમવારના રોજ ઉત્તરક્રિયા નિમિત્તે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.

સંતવાણીના આ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહેશે.તા.3 ને સોમવારે રાત્રિના નવ કલાકે મોરબીના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતે આવેલ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાન ખાતે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જારીયા પરિવારના લાખાભાઈ જારીયા, રાજેશભાઈ જારીયા, રમેશભાઈ જારીયા, દિનેશભાઈ જારીયા, કાનજીભાઈ જારીયા, અશ્વિનભાઈ જારીયા તથા ભુપતભાઈ જારીયા દ્વારા આ સંતવાણીના કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!