પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ આજે શુક્રવારે સંભાળી લીધો છે.
પંકજ જોશીએ મુખ્ય સચિવ તરીકે સંભાળ્યો ચાર્જ સંભાળ્યો છે. વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમારે જવાબદારી સોપી અને શુભેચ્છા પાઠવી હતી. વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમાર નિવૃત્ત થયા છે.

પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ આજે શુક્રવારે સંભાળી લીધો છે. પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. હાલના ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર આજે નિવૃત્ત થયા છે. જેથી પંકજ જોશીને ચાર્જ સુપરત આજે કર્યો છે.

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ જોષીને નિવૃત થઈ રહેલા મુખ્ય સચિવ રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય સચિવ જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્યનો અગ્રીમ વિકાસ થયો છે, અને આવનારા સમયમાં પણ ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

ભારત સરકાર અને ગુજરાત સરકારનું એક જ વિઝન રહ્યું છે, ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્નો કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત 2047’ વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિઝન ડોકયુમેન્ટ બે થીમ પર આધારિત છે, અર્નીગ વેલ અને લીવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

આ સાથે વય નિવૃત્ત થતાં ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વડા- અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર સહિત વિવિધ સનદી અધિકારીઓએ રાજકુમાર સાથે તેમણે કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહિવટી કુશળતાને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની પંકજ જોષી વર્ષ 1989માં ગુજરાત કેડરમાં ભારતીય સનદી અધિકારી તરીકે જોડાયા હતા. જોષીએ સિવિલ ઈજનેરીમાં બી.ટેક. તેમજ જળ ક્ષેત્રે એમ. ટેક.નો અભ્યાસ કર્યો છે.
તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારીથી શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને હવે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે.

એમ. કે. દાસની જગ્યાએ બન્યા હતા એડિશનલ ચીફ સેક્રેટરી
ગુજરાતમાં મંત્રીમંડળના રાજીનામાં બાદ ગેસ કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

પંકજ જોશીએ વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે
પંકજ જોશી વર્ષ 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. ગુજરાતમાં તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં રાજ્યની સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.

સિનિયર IAS અધિકારી કે શ્રીનિવાસનના સાઢુભાઈ
એવી ધારણા હતી કે હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર રિટાયર્ડ થયા બાદ પંકજ જોશીને જ મુખ્ય સચિવ બનાવવા છે જે હવે સાચી પડી છે. અત્રે નોંધનીય છે કે પંકજ જોશી દિલ્હીમાં ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી કે શ્રીનિવાસનના સાઢુભાઈ થાય છે.

નિર્ણય લેતા પણ અચકાતા નથી
પંકજ જોશીની ઇમેજ ખૂબ જ સ્વચ્છ છે. અન્ય IAS અધિકારીઓ પણ તેમને ખૂબ જ માન આપે છે. પંકજ જોશીની કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. પોતાના તાબાના અધિકારીઓને તેઓ પૂરું માર્ગદર્શન પણ આપે છે અને જરૂર પડીએ પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી.

IAS અધિકારી પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે. પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.





