Sunday, February 16, 2025
HomeFeatureપ્રજાસત્તાક દિવસની પરેડ માટે 16 રાજ્યો અને 10 મંત્રાલયોની ઝાંખી બતાવવામાં આવશે

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 16 રાજ્યો અને 10 મંત્રાલયોની ઝાંખી બતાવવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી-ગુજરાતની પ્રગતિ – મહાકુંભ સહિત 31 ટેબ્લો પ્રજાસત્તાક પરેડમાં હશે

ભારતીય સાંસ્કૃતિક વારસા તથા સિદ્ધિઓને પસંદગીમાં પ્રાધાન્ય:લિસ્ટ ફાઈનલ

76માં પ્રજાસત્તાક દિવસને માત્ર થોડા જ દિવસો બાકી છે, 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ પહેલાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ, 10 મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કરતી ઝાંખીઓ પ્રથમ વખત દર્શાવવામાં આવશે. સઘન પસંદગી પ્રક્રિયા પછી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સિદ્ધિઓની ઉજવણી કરતી વાઇબ્રન્ટ ટેબ્લોક્સની પસંદગી કરવામાં આવી છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઝળહળતી પરેડમાં કુલ 31 ઝાંખીઓ દર્શાવવામાં આવશે. ઉત્તર પ્રદેશે તેની ઝાંખીમાં ’સમુદ્ર મંથન’  અને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારતાં ઋષિઓ સાથે મહાકુંભનું દ્રશ્ય બનાવ્યું છે.

ગુજરાત તેની ઔદ્યોગિક પ્રગતિ સેમિક્ધડક્ટર અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાંખી બતાવશે . ઉપરાંત, ગ્રામીણ વિકાસ મંત્રાલયનું “લખપતિ દીદી” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશની મહાકુંભની ઝાંખી :-

ઉત્તર પ્રદેશની ઝાંખી વિશ્વનાં સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ તરફ ધ્યાન દોરે છે. આ ઝાંખી ઋષિઓ અને પૌરાણિક સમુદ્ર મંથનનું ચિત્રણ કરે છે, જે દૈવી અમૃત અને જ્ઞાનની શોધનું પ્રતીક છે. ડિઝાઈન અને ઈમેજરી મહાકુંભની ભવ્યતાને કેપ્ચર કરે છે, જે માત્ર એક ધાર્મિક પ્રસંગ જ નથી પણ ભારતની સદીઓ જૂની પરંપરાનો પુરાવો પણ છે.

ગુજરાતની પ્રગતિ અને નવીનતાની ઉજવણી કરતી ઝાંખી :-

ગુજરાતની ઝાંખી ઔદ્યોગિક અને તકનીકી નવીનતામાં રાજ્યની નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કરતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ છે. તેની સાથે, ઝાંખીમાં સેમિક્ધડક્ટર ઉદ્યોગમાં ગુજરાતનાં યોગદાન, સી-295 એરક્રાફ્ટનું ઉત્પાદન અને ભારતની પ્રગતિને આગળ ધપાવતા ઔદ્યોગિક હબ તરીકેની તેની સ્થિતિને પ્રકાશિત કરે છે.

આ તત્વોનું નિરૂપણ ગુજરાતનાં વારસાને આધુનિકતા સાથે સંમિશ્રિત કરવાનાં વિઝનને દર્શાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાથી લઈને એરોસ્પેસ અને સેમિક્ધડક્ટર્સમાં અદ્યતન પ્રગતિ સુધી, ગુજરાતની ઝાંખી ભારતની વિકાસ વાર્તામાં રાજ્યની મુખ્ય ભૂમિકાનું પ્રતીક છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયની “લખપતિ દીદી” :-

ગ્રામીણ વિકાસ મંત્રાલયે “લખપતિ દીદી” પર ધ્યાન કેન્દ્રિત કરતી એક પ્રેરણાદાયી ઝાંખી રજૂ કરશે, જે ગ્રામીણ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેણે સ્વ-સહાય જૂથો દ્વારા નાણાકીય સ્વતંત્રતા અને સ્થિરતા પ્રાપ્ત કરી છે. આ ઝાંખી આ મહિલા સાહસિકોની ઉજવણી કરે છે, જેમણે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જેવી સરકારી પહેલ દ્વારા, તેમનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે અને ગ્રામીણ વિકાસમાં યોગદાન આપ્યું છે. તેજસ્વી રંગીન ઝાંખી એસએચજી પ્રવૃત્તિઓ જેમ કે હસ્તકલા, ડેરી ફાર્મિંગ અને નાના પાયાનાં ઉદ્યોગોનું નિરૂપણ કરશે.

સાંસ્કૃતિક વિવિધતા અને સિદ્ધિ :-

પ્રજાસત્તાક દિવસની પરેડમાં અન્ય રાજ્યો અને મંત્રાલયોની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે, જેમાં ભારતનાં સાંસ્કૃતિક વારસા અને તેની પ્રગતિની યાત્રાનું મિશ્રણ દર્શાવવામાં આવશે. રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશા પોતપોતાની ઝાંખીઓ દ્વારા તેમનાં સમૃદ્ધ વારસા અને સિદ્ધિઓને પ્રદર્શિત કરશે.

વધુમાં, ઘણાં મંત્રાલયો ટેક્નોલોજી, ગ્રામીણ વિકાસ અને સંરક્ષણમાં સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરશે. સેમિક્ધડક્ટર્સ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં પ્રગતિ જેવાં આધુનિક તત્વોનો સમાવેશ વૈશ્વિક મંચ પર ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!