ઊર્જા બચત માસ પર્વની તેમજ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા માટે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ રેલીનું આયોજન કર્યું હતું અને ત્યારે ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કર્યું હતું
આ રેલી મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતેથી અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડિયાએ લીલીઝંડી આપીને શરૂ કરાવી હતી ત્યારે બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી પસાર થઈ હતી અને ભક્તિનગર સર્કલ પાસે રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.