Friday, January 17, 2025
HomeFeatureમોરબીમાં ડૉ.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં ડૉ.બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ધમ્મયાત્રા યોજાઇ

મોરબીમાં દર વર્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનના અવસરે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ પરંપરા મુજબ ગતકાલે પણ મોરબીના મૂળ નિવાસી સંઘ અને અનુસૂચિત જાતિ સમૂહ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

યાત્રા નહેરુ ગેટ ચોકથી ગાંધીચોક સુધી ચાલી અને અંતે પાલિકા કચેરીના પટાંગણમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી.

આ પ્રસંગે ડૉ. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ સાથે આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને સામુહિક શપથ ગ્રહણ પણ કરાયું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!