Tuesday, February 18, 2025
HomeFeatureઓક્ટોબરથી બદલાયા સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમો

ઓક્ટોબરથી બદલાયા સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમો

જો તમે તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર સુકન્યા સમૃદ્ધિ યોજના પર ધ્યાન આપવું જોઈએ. દીકરીના ભવિષ્ય માટે આ યોજના ખૂબ જ લોકપ્રિય છે.

પણ જે લોકો રોકાણ કરી ચૂક્યા છે અને જે લોકો રોકાણ કરવાના છે તેઓએ આ યોજનાના નવા નિયમો વિશે જાણવું જરુરી છે. સપ્ટેમ્બર પુરો થઈ ગયો અને ઓક્ટોબર શરૂ થઈ ગયો છે.

નવા મહિનાની શરૂઆત સાથે 1 ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, SSYનું ખાતું ફક્ત પુત્રીના માતા-પિતા અથવા તેના કાયદાકીય વાલી દ્વારા જ ખોલી શકાશે અથવા સંચાલિત કરી શકાશે.

મતલબ કે, હવે દીકરીના દાદા દાદી કે અન્ય સંબંધીઓ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે નહીં. નવા નિયમ મુજબ, જો પુત્રીનું સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઈ વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું હોય અને તે તેના કાયદેસર વાલી નથી.

આવી સ્થિતિમાં, તેઓએ આ એકાઉન્ટ પુત્રીના કાનૂની વાલી અથવા માતાપિતાને ટ્રાન્સફર કરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો ખાતું બંધ થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!