Sunday, April 20, 2025
HomeFeatureગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મળી મંજૂરી, ખેડૂતોની આવક...

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મળી મંજૂરી, ખેડૂતોની આવક વધશે

ગુજરાતમાં દર વર્ષે સુજલામ-સુફલામ જળ અભિયાનથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા અને ભૂગર્ભ જળને ઊંચા લાવવાના રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં બિન ઉપયોગી અને બંધ અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરાશે. તેનામાં 150 કરોડ રૂપિયાની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી મળી છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

ટ્યુબવેલના રિચાર્જ માટે 90 ટકા ખર્ચ રાજ્ય સરકાર આપશે

ગુજરાતમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા ટ્યુબવેલને રિચાર્જ કરાશે. ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાથી રાજ્યમાં 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરવામાં આવશે. આ  ટ્યુબવેલના રિચાર્જ માટે 90 ટકા ખર્ચ રાજ્ય સરકાર આપશે. જ્યારે 10 ટકા ખર્ચ લોક ભાગીદારીથી આપવાનો રહેશે

આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઈ થાય છે

ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભજળ અંગે વિવિધતાઓ જોવા મળે છે. રાજ્યમાં આવેલી કુલ 185 નદીઓમાંથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ આશરે 39 ટકા ભૂગર્ભ જળ છે. જેનાથી 57 ટકા જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળમાંથી 80 ટકા ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.

ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ વધે છે

સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રિચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર નીચા જઈ રહ્યા છે અને પાણીની આવક પણ ઘટી રહી છે. જેના કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ વધે છે.

જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી તેની નીચે ઊતરી શકતું નથી. વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે. પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે. જેના બદલે સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાનાથી ટ્યુબવેલ બંધ અને બીન ઉપયોગી થયા છે. જો આ ટ્યુબવેલને વરસાદના પાણીથી રિચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુન:જીવિત થઈ શકે છે. આ ઉપરાંત સતત ઊંડા જતા ભૂગર્ભ જળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!