Sunday, March 23, 2025
HomeFeatureકચ્છમાં પાક. સરહદે BSF ના બે જવાનોના લૂ લાગી જવાથી મોત

કચ્છમાં પાક. સરહદે BSF ના બે જવાનોના લૂ લાગી જવાથી મોત

હરામીનાળા ખાડી પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના

કચ્છમાં હરામીનાળા ખાડી ક્ષેત્રમાં પાકિસ્તાન સીમાએ પેટ્રોલીંગ દરમિયાન લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થઈ જતા બીએસએફ અધિકારી અને બીએસએફના જવાનનું મૃત્યુ થયું હતું.

હરામીનાળા ખાડી ક્ષેત્રમાં સેનાની ટૂકડી પેટ્રોલીંગ માટે નીકળી હતી. પરંતુ પેટ્રોલીંગ દરમિયાન સીમા સુરક્ષા દળના એક અધિકારી અને એક જવાનનું લૂ લાગવાથી ડિહાઈડ્રેશન થઈ જવાથી મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, બન્ને ઝીરો લાઈન પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે જ લૂ લાગવાથી બેભાન થઈ ગયા હતા. બન્નેને સારવાર માટે ભુજના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત થયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!