આપણા દેશમાં આર્થિક અપરાધીઓ બેખૌફ છેતરપીંડી કેમ આચરી જાય છે? આર્થિક અપરાધ માટે કડડ કાયદો ક્યારે?

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા ) તાજેતરમાં અંજારના સોની સમાજના મનીષભાઈ હરિલાલભાઈ બુધ્ધભટ્ટી જે ‘જેનીલ જવેલર્સ’ નામે અંજારમાં પેઢી ચલાવતા હતા. તેમની સાથે તપન સાહુ નામના બંગાળી કારીગરે ભારે રકમની છેતરપીંડીં કરીને રફુચક્કર થઇ ગયો હતો. જેમની પોલીસ ફરિયાદ પણ કરેલ હતી. આ છેતરપિંડીથી મનીષભાઈ પર આવી પડેલા અસહ્ય આર્થિક બોજના આઘાતથી મનીષભાઈએ અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે સવાલ એ થાય છે કે 3-4 મહિના પહેલા જયારે છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં કરાઈ તો આજ દિવસ સુધી પોલીસ આ બંગાળી કારીગરને ધરદબોચવામાં કેમ નિષ્ફળ રહી? ભારત જેવા દેશમાં કોઈ આર્થિક છેતરપિંડીના કિસ્સાઓ અવાર નવાર બનતા રહેતા હોય છે ક્યારેક કોઈની જિંદગીની મરણ મૂડી આવા અપરાધીઓના કારણે ગુમાવતા તેઓ આપઘાત કરવા મજબુર થઈ જાય છે. ત્યારે સવાલ એ છે કે આપણા દેશમાં આર્થિક અપરાધીઓ માટે એવો કડક કાયદો કેમ નથી? અપરાધીઓને આર્થિક છેતરપિંડી આચરવામાં કાયદાનો કોઈ ખોફ રહ્યો ન હોય તેવો માહોલ આખરે આપણા દેશમાં કેમ છે? આ સોની પરિવાર પર બનેલ બનાવથી સરકારે બોધ પાઠ લેવો જોઈએ જો આર્થિક બાબતના ગુન્હાની આકરી સજાનું પ્રાવધાન કરવું રહ્યું નહિ તો હજુ પણ કેટલાય લોકોની જિંદગી આ રીતે બરબાદ થતી રહેશે. આ ઘટનાને લઈને સમસ્ત સુવર્ણકાર સમાજે એક દિવસ જડબેસલાક બંધ રાખીને વિરોધ કર્યો હતો અને પૂર્વ-કચ્છના પોલીસ વડાને આવેદન આપી અપરાધીને કોઈ પણ ખૂણેથી પકડી પાડી આકરી સજા આપવા આવેદન પાઠવ્યું છે.






































