Monday, April 21, 2025
HomeFeatureવડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોને કયા મંત્રાલય મળ્યાં? જુઓ આખી યાદી

વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોને કયા મંત્રાલય મળ્યાં? જુઓ આખી યાદી

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાની સાથે 72 મંત્રીએ પણ શપથ લીધા હતા. આજે (10મી જૂન) પીએમ મોદીની કેબિનેટમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહ, નાણા, સંરક્ષણ અને વિદેશ સહિતના મહત્ત્વના ખાતા ભાજપે પોતાની પાસે રાખ્યા છે, ત્યારે જાણીએ વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોના કયા નેતાને કયું મંત્રાલય ફાળવાયું છે.       

જુઓ ભાજપના સાથી પક્ષોને કયું ખાતું મળ્યું

કેબિનેટ મંત્રી
નામમંત્રાલયપક્ષ
એચ.ડી. કુમારસ્વામીભારે ઉદ્યોગ અને સ્ટિલજેડીએસ
જીતનરામ માંઝીલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગહમ
રાજીવ રંજનપંચાયતી રાજ, મત્સ્ય- પશુપાલન અને ડેરીજેડીયુ
રામમોહન નાયડુનાગરિક ઉડ્ડયનટીડીપી
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગએલજેપી (RV)
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)
નામમંત્રાલયપક્ષ
પ્રતાપરાવ જાધવઆયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણશિવસેના
જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણઆરએલડી
રાજ્યમંત્રી
નામમંત્રાલયપક્ષ
રામદાસ આઠવલેસામાજિક ન્યાય અને સશક્તિકરણઆરપીઆઈ
રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણજેડીયુ
અનુપ્રિયા પટેલઆરોગ્ય અને પરિવાર કલ્યાણઅપના દળ(એસ)
પી. ચંદ્રશેખરગ્રામિણ વિકાસ અને સંચારટીડીપી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી 11 મંત્રી બનાવવામાં આવ્યા છે. 5 કેબિનેટ, 2 સ્વતંત્ર, જ્યારે 4 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી 2.0 સરકારની આગેવાની હેઠળ 4.21 કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!