Sunday, April 20, 2025
HomeFeature૩ જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦:૦૦ થી સવારના...

૩ જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦:૦૦ થી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે.

જેથી આ અમરસર ફાટક પર વાહનોની અવર જવર માટે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી કુલ ૮ કલાક પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન-વ્યવહાર અન્ય રોડ પર ડાયવર્ટ કરવાનો રહેશે તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!