Monday, February 17, 2025
HomeFeatureદેવભૂમિ દ્વારકામાં ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર, બ્રિજની નયનરમ્ય નજારો...

દેવભૂમિ દ્વારકામાં ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર, બ્રિજની નયનરમ્ય નજારો આવ્યો સામે

દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિુજ બનીને સંપૂર્ણપણે બનીને તૈયાર છે. 900 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ બનતા અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર પુલ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. વર્ષ 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બ્રિજના કામને મંજૂરી આપી હતી. બ્રિજનો શિલાન્યાસ 7 ઓક્ટોબર 2017ના રોજ પીએમ મોદીએ કર્યો હતો.

દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. બ્રિજની લંબાઈ 2320 મી છે, જેમા 900 મીટરનો કેબલ સ્ટેયડ છે. આ બ્રિજની નયનરમ્ય તસવીરો સામે આવી છે.

દેશના સૌથી મોટા બ્રિજની મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે જેમા મુખ્ય બે પિલર ઉંચાઈ 130 મીટર છે.

બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર કોતરણી કરીને 20 બાય 12 ના 4 મોરપીછનું ચિત્રકામ કરવામાં આવ્યુ છે.

પુલની પહોળાઈ 27.20 મીટર ચાર માર્ગીય તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બંને તરફ 2.50 મીટર પહોળો ફુટપાથ રાખવામાં આવ્યો છે.

ફુટપાથ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન થશે. જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટલાઈટ જરૂરીયાત પુરી પાડવામાં આવે છે

બ્રિજ 44 પીલરો તૈયાર કરવામાં આવેલ છે. જેને તૈયાર કરતા અંદાજીત ત્રણ વર્ષનો સમય લાગેલ છે.

બ્રિજમાં કુલ 150,000 કુબીક મીટર કોન્ક્રીટ અને 26500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે.

થોડા દિવસોમાં જ આ પીએમ મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. બ્રિજ અવરજવર માટે ખુલ્લો મુકાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સિગ્નેચર બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્રારકા અવર-જવર કરી શકશે.

બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યુ ગેલેરીનુ રાખવામાં આવી છે.

સિગ્રનેચ બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગ્મેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગ્મેન્ટ મેઈન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે. આ સેગ્મેન્ટસની ડીઝાઈન તૈયાર કરવાથી લઈને સ્થળ પર ઈરેકશન સુધીની કામગીરી લઈ સ્થળ પર વિવિધ કામગીરી માટે તાંત્રિક ઈજનેરો અને મજુરો અંદાજીત 450 લોકો દ્રારા કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!