મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2023

મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમા બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભારત માતા અને અશોક સ્તંભનો સમાવેશ થાય છે આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે રફાળેશ્ર્વર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બનાવવામાં આવી છે ખાસ કરીને દેશભક્તિના વિચારોને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેનાએ જવાબદારી સ્વીકારી પ્રતિમાનું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્ય બદલ ડીવાયએસપી પી.એ. ઝાલા અને ત્યાં ફરજ બજાવતા પીઆઇ દ્વારા ક્રાંતિકારી સેનનું ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.