તમામ બ્રિજનો સરવે કરી 10 દી’માં રિપોર્ટ આપો: હાઈકોર્ટ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી દરમિયાન હુકમ, માતા-પિતા ગુમાવનાર બાળકોને 37 લાખનું વળતર ચૂકવો, મૃતકોની યાદીમાં જ્ઞાતિના ઉલ્લેખ સામે વ્યક્ત કરેલી નારાજગી, 12મીએ ફરી સુનાવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુનાવણી દરમિયા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મામલે હાઈકોર્ટે આજે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મૃતકો માટે 4 લાખનું વળતર પુરતુ નથી. સરકારે ઓછામાં ઓછું 10 લાખનું વળતર આપવું જોઈએ કોર્ટે રાજ્યના તમામ બ્રીજનો સર્વે કરી 10 દિવસમાં રિપોર્ટ આપવા પણ તાકીદ કરી છે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ચુકવવામાં આવેલ રકમથી સંતોષ નથી. મૃતકોના પરિવારજનોને ચાર લાખનું વળતર પુરતું નથી. યોગ્ય વળતર ચૂકવવું એ પણ સમયની જરૂૂરિયાત છે. ગંભીર રીતે ઘાયલોને ચૂકવવામાં આવતું વળતર પણ ઓછું છે. 10 લાખનું વળતર આપવું જોઈએ. દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. પ્રત્યેક બાળકોને 37 લાખ રૂૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્યભરમાં તમામ બ્રિજનો સર્વે કરાવવા આદેશ કર્યા છે. 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. જેમાં હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી માંગી છે.

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિજનો તથા ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. સાથે જ હાઈકોર્ટે ગુજરાતમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો અને તેમની સ્થિતિ વિશેનો રિપોર્ટ 10 દિવસમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યમાં જે પણ અધિકારીઓ આ પ્રકારના બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ કે ક્ધટ્રોલિંગ કરે છે તેઓ સુનિશ્ચિત કરે તે તેમના વિસ્તારના બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોય. બ્રિજ કાર્યક્ષમ સ્થિતિમાં હોય તેની ખાતરી કરો અને કોઈપણ દુર્ઘટનાને અટકાવવા માટે જરૂૂરી પગલા લો. હાઈકોર્ટે આ સાથે જ સરકાર પાસેથી ગુજરાતમાં રહેલા બ્રિજનો આંકડો, તેમની સ્થિતિનું એન્જિનિયર પાસેથી ઈન્સ્પેક્શન કરાવી સર્ટિફિકેટ 10 દિવસની અંદર જમા કરવાનો આદેશ કર્યો છે.

આ સાથે જ હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલા વળતર મુદ્દે પણ સરકારને ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને આપવામાં આવેલું વળતર ખૂબ જ ઓછું છે. વળતર અત્યારના સમયની જરૂૂરિયાત મુજબનું હોવું જોઈએ.

આ માટે સરકારને વળતરની પોલિસીનું વિગતવાર એફિડેવિટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોને મહિને 3 હજારનું વળતર કંઈ નથી. માત્ર સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ 3 હજારથી વધુ થાય છે. અમે આ ચૂકવેલા વળતરથી સંમત નથી, તે ડબલ અથવા 10 લાખ સુધી હોવું જોઈએ.

નોંધનીય છે કે, મોરબી દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા હતા, જ્યારે 12 બાળકોએ માતા અથવા પિતા ગુમાવી દીધા છે. ઉપરાંત કોર્ટે મૃતકોની યાદીમાં તેમની જાતિ દર્શાવવાનો પણ વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 135 મૃતકોના આશ્રિતોની સંપૂર્ણ વિગતો સાથેની યાદી માગી છે. વધુ સુનાવણી 12મીએ રાખવામાં આવી છે.ન હુકમ, માતા-પિતા ગુમાવનાર બાળકોને 37 લાખનું વળતર ચૂકવો, મૃતકોની યાદીમાં જ્ઞાતિના ઉલ્લેખ સામે વ્યક્ત કરેલી નારાજગી, 12મીએ ફરી સુનાવણી