લાલબંગલા પાસે લસ્સીના વેપારી ભાવેશ મહેતા સહિત 3 શખ્સોએ 200થી વધુ લોકોને ઉતાર્યાં શિશામાં

એકના ડબલ ના ચક્કરમાં શહેરના નામાંકીત લોકોનો સમાવેશ : આવાનાર દિવસોમાં ભોગગ્રસ્ત ફરિયાદ નોંધાવા આગળ આવે તો નવાઈ નહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2022

જામનગર શહેરના લીમડા લાઇન સોઢા સ્કુલ પાસે રહેતા અને લાલબંગલા વિસ્તારમાં લસ્સીનો ધંધો કરતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ શહેરના કેટલાય આસામીને શીરામાં ઉતાર્યાં નો અહેવાલ દેશ દેવી ન્યુઝે પ્રસિદ્ધ કર્યાં હતો તે બાદ લોકો છેતરાણા હોવાનો અહેસાસ થતા લેણદારોની ભીડ ભાવેશ મહેતાના ઘરે લાગી હતી. અને શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ હતોતેમાં ઘણા લેણદારો એતો મલકત લખાવી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.

લીમડા લાઇન સોઢા સ્કુલ પાસે રહેતાભાવેશ પ્રવિણચંદ્ર મહેતા અને બે શિક્ષકોએ ભેગા મળી આચર્યું કૌભાંડ ઉંચા વળતરની લાલચ આપી નામાંકીત ને બોટલમાં ઉતાર્યાં તપાસનો ધમધમાટ શરૂ થતા દોડધામ સૌપ્રથમ એચ.યુ.એફ. પેઢી ” તથા ” તજીલા ટ્રેડીંગ કંપની “ ઉભી કરી , માર્કેટમા સારૂ એવુ જ્ઞાન હોય તેવુ જણાવી રોકાણકારોને સારૂ વળતર જેમા દર મહીને ત્રણ થી સાડા ચાર ટકા જેટલુ ચોક્કસ વળતર આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણકારોએ કરેલ રોકાણ અંગેનુ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્વાસ આપી , તેમજ પૈસા રોકવાની સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૂ આકર્ષક સ્કીમો આપી પ્રસિધ્ધી કરતા ફરીયાદીએ પોતાના તથા પરીચીતોની રકમ મળીને કુલરૂ -૨ , ૩૭,૫૦,૦૦૦ / – ( બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજારરૂપીયા ) તદઉપરાંત ૨૦૦ થી વધુ વ્યકિતઓએ આ સ્કીમમા રકમનુ રોકાણ કરતા જે રોકાણ કરેલ રકમ કે , તે રકમનુ વળતર પરત ન આપી , આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાંખી ઓળવી જઇ ફરીયાદી તથા રોકાણ કરેલ રોકાણકારો સાથે વિશ્વાસસઘાત અને છેતરપીંડી કરી , તમામ આરોપીઓએ , પૂર્વયોજીત કાવતરૂ રચી ,

આથી જામજોધપુર પોલીસે હિમાંશું ચંદુલાલ મહેતાની ફરિયાદ પરથી ગુન્હોઇ.પી.કો.કલમ -૧૨૦ ( બી ) , ૪૦૬, ૪૨૦ , ૧૧૪  તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ગ્રેસ્ ઓફ ડીપોઝીટ ( ઇન ફાયનાન્સીયલ ઈસ્ટેબ્લીશમેન્ટ્સ ) એકટ -૨૦૦૩ ની કલમ ૩ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી જામજોધપુરના Pl કે.વી ઝાલા ચલાવી રહ્યા