મોરબી: પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

મોરબીના લીલાપર રોડ પર આવેલ   ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે ગત  તા.11 ના રોજ   ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ   જલ્પેશ વાઘેલા સાહેબ ,   સંજય બાપોદરિયા (સંગી), તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા,પરમાર રૂપેશ (કવિજલરૂપ) ,  વિવેક ભાલારા, ડો. રજનીકાંત રાઠોડ સાહેબ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.