મોરબીના ઝૂલતા પુલનો કબજો લેવા તંત્રની તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2022

વર્ષો પહેલા સંપૂર્ણ રીતે બંધ હાલતમાં પડેલ મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલમાં આશરે એક કરોડ જેટલો ખર્ચો કરી અજંતા ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો અને ઓરેવા ગ્રુપ હાલ જવાબદારી સાંભળી રહ્યો હોય ત્યારે નવો એગ્રીમેન્ટ કરવામાં ના આવે તો ઝુલતા પુલની જવાબદારી તંત્રને પરત સોપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીનો ઝૂલતો પુલ એતિહાસિક હોય અને સ્થાનિક ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ પણ ઝુલતા પુલની મુલાકાત અચૂક લે છે રવિવાર અને રજાના દિવસો સહીત ઝૂલતો પુલ 365 દિવસ લોકો માટે ખુલ્લો રહે છે કારણકે ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સ માટે ડેડીકેટેડ સિવિલની ટીમ રાખી છે.

દરમિયાન બે વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝૂલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેક્ટરને પત્ર

લખ્યો હતો અને કલેકટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ યોજાઇ જેમાં ટેમ્પરરી રીપેરીંગ કરી અને ચાલુ કરવો અને એગ્રીમેન્ટ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન કરવાના મુદ્દા પર ચર્ચા થઇ હતી બે ત્રણ માસની અંદર એગ્રીમેન્ટ મોકલવાનું હતું જેનો ડ્રાફ્ટ પણ ઓરેવા ગ્રુપ દ્વારા 31-1-2020 ના રોજ નગરપાલિકાને મોકલી આપવામાં આવેલ હતો, સમયાંતરે લેખિત રિમાઇન્ડરો પણ આપેલ હતા પરંતુ ઓરેવા ગ્રુપને હજી સુધી એગ્રીમેન્ટ મળેલ નથી.

હાલ ઝૂલતા પુલને સંપૂર્ણ રિનોવેટ કરવો પડે તેમ છે આ રિનોવેટ કરવાની તૈયારી પણ ઓરેવા ગ્રુપે દર્શાવી હતી પરંતુ નવું એગ્રીમેન્ટ ન મળવાને કારણે ઓરેવા ગ્રુપ આ રીનોવેશન કરી શકેલ નથી. નવું એગ્રીમેન્ટ ન થાય તો વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપે આ ઝૂલતા પુલની જવાબદારી પ્રશાસનને પાછી સોંપી દેવાનો નિર્ણય લીધો છે