પ્રધાનમંત્રી મોદીની શુભેચ્છા મુલાકાતે પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-12-2021

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા લીધી હતી અને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવા આશીર્વાદ મેળવ્યા હતા નરેન્દ્રભાઈ મોદીનું બ્રિજેશભાઇ મેરજાએ કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ અર્પણ કરી હતી તેઓએ પ્રધાનમંત્રીને રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગની કામગીરીથી સુમાહિતગાર કર્યા હતા