ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરની નિમણુંક કરાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-11-2021

(યોગેશ બુધ્ધભટ્ટી, રાજકોટ) આજના સમયમા દૈનિક કામ કાજ ની ભાગદોડ માં દરેક વ્યક્તિ ને સારીરિક અને માનસિક શાંતિ નું સંતુલન જાળવવા ના હેતુ યોગ ખુબ જરીરી છે જેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક લાખ લોકોને યોગ ટ્રેનરો બનાવી સર્ટિફિકેટ આપી રાજ્ય સરકારે યોગ ટ્રેનર નિમણુક કરી છે આ તમામ યોગ ટ્રેનરો વિવિધ સ્થળ પર યોગ ક્લાસ ચાલુ કરી દરેકને યોગ અભ્યાસ કરાવશે ગુજરાત રાજ્ય સરકાર ના એક લાખ લોકો ને યોગ ટ્રેનર બનાવી દરેક લોકો સુધી યોગ પહોંચાડી લોકો યોગમય બને અને નિરોગી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.