મોરબી: અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા ફંડ એકત્રિત કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-10-2021

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ 3, ઉત્તરપ્રદેશ 1, કેરળ 1 અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ છે ત્યારે આ છ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશ ભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા આજથી બે દિવસ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપા સીતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા આ ભેગું થયેલું ફંડ અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે જે કામગીરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ બિરદાવી હતી