વાંકાનેર માર્કેટયાર્ડના નવા ગોડાઉન અને ફાર્મર શેડનુ ધારાસભ્ય પીરઝાદાના હસ્તે લોકાર્પણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-10-2021

વાંકાનેર માર્કેટયાર્ડમા તૈયાર થયેલ નવા ગોડાઉન અને ફાર્મર શેડનુ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પોતાના વકત્વયમાં ધારાસભ્ય પીરઝાદાએ વાંકાનેર માર્કેટયાર્ડની કામગીરીની પ્રશંસા કરી હતી. માર્કેટયાર્ડ ચેરમેન શકીલ પીરઝાદાએ પોતાના વકત્વયમાં માર્કેટયાર્ડની પાંચ વર્ષની કામગીરીનુ વર્ણન કર્યુ

આ પ્રસંગે માર્કેટયાર્ડના વિકાસમાં ફાળો આપનાર પુર્વ ચેરમેનો ઈરફાન પીરઝાદા, આહમદભાઈ શેરસીયા, સબીરભાઈ મોમીન અને રસુલભાઈ કડીવારને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનુસભાઈ શેરસીયા નેતા, હરદેવસીહ જાડેજા, નવધણભાઈ મેધાણી, કરશનભાઈ કુંભાણી, ઈસ્માઈલભાઈ બાદી, પ્રભુભાઈ વિજવાડીયા, ગુલામભાઈ પરાસરા, અબ્દુલભાઈ બાદી, હસનભાઈ બક્ષી, ગોહેલભાઈ, માર્કેટયાર્ડના ડિરેકટરો અમીયલભાઈ કડીવાર, ગુલાબભાઈ બાદી,પરબતભાઈ ડાંગર, ઉસ્માનભાઈ મરડીયા, હુશેનભાઈ ભોરણીયા સહીત સમગ્ર વાંકાનેર તાલુકાના સહકારી સંસ્થાના અગ્રણીઓ તથા યાર્ડના વેપારીઓ અને કમીશન એજન્ટો ઉપસ્થિત રહયા હતા. વિશેષ રાજકોટ માર્કેટયાર્ડના ડિરેકટર અતુલભાઈ કમાણી અને રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ બોરડે પણ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માર્કેટયાર્ડ વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેધાણીએ કર્યું હતું અને આભાર વિધી યાર્ડ ડિરેકટર અલીભાઈ બાદીએ કરી હતી.