મહેન્દ્રનગરમાં સ્વ ખર્ચે ચબૂતરાનું નિર્માણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-10-2021

મોરબીના મહેન્દ્રનગર ગામેં મહાકાળી ચોકમા ગરબી મંડળ ખાતે ગરબીનો સામાન ભરવા માટેના રૂમો તથા પક્ષી ઘર બનાવવા માટે જીજ્ઞેશ હંસરાજ ભાઇ કૈલાએ 4,51,000 રૂપિયાના ખર્ચે બનાવી લોક હિતાર્થે અને પક્ષીઓ માટે બનવડાવ્યું છે ત્યારે આ તકે મહાકાળી ચોક ગરબી મંડળ ના આગેવાનો દ્વારા કૈલા પરીવારનુ અભિવાદન કરવા માં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હાલ પશુઓ માટે પશુ ઘર છે ત્યારે પક્ષીઓ માટે કોઈ વ્યવસ્થા નથી જેમાં આ ચબૂતરા ઘર ને આધુનીક રીતે બનવવામાં આવ્યું છે જેમાં પક્ષીઓના રહેવા અને પીવાના પાણી તેમજ ચણ સંગ્રહ ઘર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.