સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને જામનગર અને રાજકોટ (heavy rain in Jamnagar and rajkot) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
મોરબીઃ ટંકારાના છેવાડાના વિસ્તારમાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. 35 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ટંકારા પોલીસ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતની ટિમો દ્વારા સર્વે હાથ ધરી સલામત સ્થળે કામગીરી કામગીરી હાથ ધરવામાં આવી છે.