જામનગર માટે હેલ્પલાઈન નંબર જાહેર, ફસાયેલા લોકો 0288-2541485 આ નંબર પર કરે કૉલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-09-2021

જિલ્લામાં વરસાદે તબાહી સર્જી દીધી છે.પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ હોવાની પણ આશંકા છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો જળબમ્બાકાર થયા હોવાથી સામાન્ય વર્ગમાં રહેતા લોકો ભારે પરેશાન છે.દરમિયાન સ્થાનિક પ્રસાશન અને વહીવટી તંત્રએ જામનગર જિલાના નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદ માટે સ્થાનિક નબર જાહેર કર્યા છે.જેઓ પાણીમાં ફસાયા છે અને મદદની આવશ્યકતા છે તેઓ પોતાની વ્યથા,મુશ્કેલી તાલુકા પરાણે આપેલા નંબર પર ફોન કરીને જણાવી શકે છે.વહીવટી તંત્ર તેઓની મુશ્કેલીઓ હળવી કરવા પ્રયત્ન કરશે અને પાણીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરશે

જિલ્લા વહીવટી વિભાગે, જામનગરમાં ફસાયેલા લોકો માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે નંબર જાહેર કર્યા છે. જામનગરમાં જેઓને મદદની આવશ્કતા છે તેઓ 0288-2541485 પર સંપર્ક કરવા જણાવાયું છે.