રાજકોટ: એસ.ટી. બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 ના મોત, 2 ઘાયલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-08-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટના કાલાવડ રોડ પર આવેલ વાજડી ગામ અને બાલાજી વેફર પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ૩નાં ઘટનાસ્થળે મોત ૨ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ધોરણસરની કાર્યવાહી આરંભી વધુ તપાસ રાજકોટ પોલીસ ચલાવી રહી છે.